મા કાલરાત્રી ભોગ : નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિને ધરાવો ગોળના માલપુઆનો ભોગ, સ્વાદિષ્ટ રેસિપી નોંધી લો
-- સાતમા નોરતે તમે માતા કાલરાત્રિને ગોળના બનેલા માલપુઆઅર્પણ કરી શકો છો.માલપુઆ એક પોપ્યુલર રેસિપી છે :
શારદીય નવરાત્રિના સાતમા દિવસે માકાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિધિ અનુસાર કરવામાં આવતી પૂજાથી માકાલરાત્રિ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર, માના કાળા સ્વરૂપના કારણે જ તેમનું નામ કાલરાત્રિ પડ્યું હતું. મા કાલરાત્રિ તમામ અસુરોનો વિનાશ કરવાવાળી દેવી છે. કાલરાત્રિ હોવાને કારણે એવું કહેવાય છે કે મા પોતાના ભક્તોને કાલથી પણ બચાવે છે અર્થાત તેમનું અકાળ મૃત્યુ નથી થતું.
-- માતા કાલરાત્રિને ગોળની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે :
માતા કાલરાત્રિને ગોળથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે.તેથી આ દિવસે તમે માતાનેગોળના બનેલા માલપુઆઅર્પણ કરી શકો છો. માલપુઆ એક પોપ્યુલર રેસિપી છે જે તહેવારોમાં અવારનવાર બનાવવામાં આવે છે. એમાં પણ ગોળના બનેલા માલપુઆ સૌને પસંદ આવે છે.
-- ગોળના માલપુઆ બનાવવા માટેની સામગ્રી :
-1/2 કપ ગોળ (છીણેલો)
- 1 કપ ઘઉંનો લોટ
- 1/2 ચમચી વરિયાળી
- 1/2 ચમચી એલચી પાવડર
- 3/4 ચમચી ફ્રૂટ સોલ્ટ
- 1/2 ચમચી ઘી
- પિસ્તા કટ કરેલા
-- ગોળના માલપુઆ બનાવવાની રીત :
(1) સૌથી પહેલા એક નોન-સ્ટીક પેન લો અને તેમાં ચોથા ભાગનું પાણી નાખીને ગરમ કરો.
(2) જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં ગોળ ઉમેરો અને ગોળ ઓગળે ત્યાં સુધી મધ્યમ આંચ પર રાંધો.
(3) હવે ગેસ બંધ કરો અને તેને થોડુ ઠંડુ થવા માટે બાઉલમાં કાઢી લો.
(4) હવે તેમાં ઘઉંનો લોટ અને વરિયાળી ઉમેરીને બરાબર મિક્સ કરો. જેથી કોઈ ગઠ્ઠો ના રહે.
(5) હવે તેમાં એલચી પાવડર, ફ્રુટ સોલ્ટ અને 2 ચમચી પાણી ઉમેરીને હળવા હાથે મિક્સ કરો.
(6) હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેને ઘી વડે ગ્રીસ કરો.
(7) તવા પર એક ચમચી બેટર રેડો, એક સર્કલ બનાવો અને તેને સમાનરૂપે ફેલાવો. સર્કલ 3 ઇંચથી વધુ ન હોવું જોઈએ.
(8) હવે ઘી વડે બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
(9) બાકીના માલપુઆ પણ આ રીતે બનાવીલો.
(10) હવે તેને એલચી પાવડર અને પિસ્તાથી સજાવો અને મા કાલરાત્રિને પ્રસન્ન કરવા તેમનેઅર્પણ કરો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!