ECIએ ગુજરાત અને અન્ય 5 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપ્યો
નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચે આજે ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાંથી ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાની સૂચના આપવામાં આવી છે. સીઈસી રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈસીઆઈએ ગુજરાત સરકારના ગૃહ સચિવ પદેથી આઈએએસ પંકજ જોશીને હટાવવાનો આદેશ આપ્યો હતો. 1989ની બેચના આઈએએસ અધિકારી પંકજ જોશી એડિશનલ હોમ સેક્રેટરીનું પદ સંભાળે છે. તાજેતરમાં જ તેમને અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જોશી અગાઉ નાણાં વિભાગ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના એસીએસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
એવું જાણવા મળ્યું છે કે 7 રાજ્યોમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેઓ મુખ્યમંત્રીના કાર્યાલયમાં વધારાના ચાર્જ ધરાવતા હતા, જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા સાથે સમાધાન કરી શકે છે, ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા સુરક્ષા દળોની તૈનાતીને લગતી.આ પહેલા 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી પરિણામ સુધી 46 દિવસનો સમય લાગશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!