અમદાવાદ એરપોર્ટ પર વધુ 600 સીઆઈએસએફ જવાનો આવશે
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં વધારો થવાની અપેક્ષાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વધારાના 600 જવાનોને તૈનાત કરવાનો ઈરાદો ધરાવે છે.અત્યારે સીઆઇએસએફના આશરે 1000 જવાનો એરપોર્ટની સુરક્ષાની દેખરેખ માટે જવાબદાર છે.
અહીંથી દરરોજ આશરે 35,000 મુસાફરો અવરજવર કરે છે. પ્રસ્તાવિત વિસ્તરણમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ્સ, કાર્ગો વિસ્તારો અને સામાન્ય ઉડ્ડયન સુવિધાઓમાં સુરક્ષાનાં પગલાંને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એરપોર્ટ મેનેજમેન્ટે તબક્કાવાર અભિગમના ભાગરૂપે એપ્રિલથી સબ-ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલોની સંખ્યામાં ક્રમશઃ વધારો થવાની ધારણા વ્યક્ત કરી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!