તમે લખી લો, ભાજપની સૌથી મોટી હાર યૂપીમાં થવાની
ઉત્તર પ્રદેશના કન્નૌજથી ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કન્નૌજમાં અખિલેશ યાદવ જીતશે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે, તમે લખી રાખો ભાજપની સૌથી મોટી હાર યુપીમાં થવાની છે.રાહુલે કહ્યું કે 10 વર્ષ સુધી નરેન્દ્ર મોદીજીએ અદાણી અને અંબાણીનું નામ નહોતું લીધું, પરંતુ હવે જ્યારે કોઈ ડરી જાય છે ત્યારે પોતાના બે મિત્રોના નામ લઈને કહે છે કે આવો અને મને બચાવો... ઇન્ડિયા ગઠબંધને મને ઘેરી લીધો છે.
આ સભમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો ભાજપ ફરી જીતશે તો બંધારણ અને અનામત ખતમ થઈ જશે. માટે આ વખતે તમારો વોટ બચાવવા માટે વોટ કરો અને ભાજપની ડિપોઝીટ જપ્ત કરો.
પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનના સંદર્ભમાં સંજય સિંહે કહ્યું કે જો તેમને ટેમ્પોનો નંબર ખબર હોય તો સરકારે ED અને CBIને મોકલીને અદાણી અને અંબાણીની ધરપકડ કરવી જોઈએ. તેમણે દાવો કર્યો કે અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવેલા કામની રિબન આજ સુધી કાપવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે આ લોકો શાળાઓ, હોસ્પિટલો નહી પરંતુ સ્મશાન પ્રદાન કરનારા લોકો છે.આ લોકોએ અમારા વડા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને મને જેલમાં ધકેલી દીધા. અમને આખી જિંદગી જેલમાં નાખો પણ અમે દેશ માટે લડતા રહીશું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!