Tiger 3 : સલમાન ખાન અને અરિજિત સિંહની 10 વર્ષની દુશ્મનીનો અંત, આ કારણે ‘દબંગ’નો ઈગો થયો હતો હર્ટ!
-- સલમાન ખાન અને અરિજિત સિંહવચ્ચે વર્ષ 2014માં વિવાદ શરૂ થયો હતો.તેમની વચ્ચેની દુશ્મનીનું કારણ એક એવોર્ડ શો છે :
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં દર્શકોને સલમાનના એક્શનની ઝલક અને ઈમરાન હાશ્મીનો ખતરનાક લુક પસંદ આવ્યો હતો. હવે ટાઈગર 3'નું પહેલું ગીત ‘લેકે પ્રભુ કા નામ' પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન અને કેટરીના રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સલમાન ખાને ‘ટાઈગર 3'ના પહેલા ગીત માટે લખેલા કેપ્શને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
-- અરિજિત સિંહનું પહેલું ગીત મારા માટે :
લેકે પ્રભુ કા નામ' સોંગની જાહેરાતકરતા સલમાન ખાને લખ્યું હતું કે, ‘મારા માટે આ અરિજીત સિંહનું પહેલું ગીત છે.’સલમાન ખાન અને અરિજિત સિંહનું નામ એક જ પોસ્ટમાં જોઈને ઘણાંને સુખદ આંચકો લાગ્યો હતો. સલમાન ખાનની આ પોસ્ટ પર લોકો જુદી-જુદીકમેન્ટકરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ જણાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે સલમાન ખાન અને અરિજીત સિંહે પોતાની 10 વર્ષ જૂની દુશ્મની ભૂલીને 'ટાઈગર 3' માટે સાથે કામ કર્યું છે.
-- અરિજીત સિંહ સાથે 9 વર્ષની દુશ્મનીનો અંત આવ્યો :
સલમાન ખાન અને અરિજિત સિંહવચ્ચે વર્ષ 2014માં વિવાદ શરૂ થયો હતો.તેમની વચ્ચેની દુશ્મનીનું કારણ એક એવોર્ડ શો છે. 2014માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન જ્યારે અરિજીત સિંહ એવોર્ડ લેવા સ્ટેજ પર ગયા ત્યારે હોસ્ટ સલમાન ખાને અરિજિતને જોઈને કહ્યું હું કે, ‘તમે વિજેતા છો!’ આના પર અરિજિતસિંહે રિપ્લાય આપ્યો હતો કે, ‘તમે લોકોએ મને સૂવાડી દીધો.' આ વાતથી સલમાન ખાનને ખૂબ જ ખરાબ લાગ્યું હતું.
-- અરિજિત સિંહે અગાઉ માફી માગી હતી :
આ પછી સલમાન ખાનની ફિલ્મ‘કિક' અને ‘સુલતાન'માંથી અરિજીત સિંહના ગીતો હટાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2016માં અરિજીત સિંહે સલમાન ખાનની માફી માંગી હતી અને ફિલ્મ ‘સુલતાન'માં ગીતનું પોતાનું વર્ઝન રાખવા વિનંતી કરી હતી, પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો ન હતો. આ વાતનો ખુલાસો અરિજિતે પોતે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો હતો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!