Dark Mode
Image
  • Thursday, 02 May 2024

સૌરાષ્ટ્ર તરફ જતી કેટલીક ટ્રેનો 1 માર્ચે સુધી રદ કરવામાં આવી

સૌરાષ્ટ્ર તરફ જતી કેટલીક ટ્રેનો 1 માર્ચે સુધી રદ કરવામાં આવી

બુલેટિન ઈન્ડિયા રાજકોટ : પશ્ચિમ રેલવેના અમદાવાદ – વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકના કારણે સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો આગામી બે દિવસમાં રદ થવાની છે.એક સત્તાવાર નિવેદન મુજબ ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન, અને ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 29મી ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

 

 

1 માર્ચે રદ થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19119 અને 19120 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 માર્ચે ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી રદ રહેશે.ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન.

 

 

ટ્રેન નંબર 22951 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ પણ 1લી માર્ચે ટ્રેન નંબર 09459/60 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ ટ્રેન સાથે રદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે 1લી માર્ચે ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14312ને આંશિક રીતે વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા તરફ વાળવામાં આવશે અને ચંલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!