કૃષ્ણ જન્મભૂમિ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ સર્વે પર આદેશ અનામત રાખ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરને અડીને આવેલી શાહી ઈદગાહ મસ્જિદમાં પ્રાથમિક સર્વે કરવા પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. દરમિયાન સીલબંધ કવરમાં એએસઆઇનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરને અડીને આવેલી શાહી ઈદગાહ મસ્જિદમાં પ્રાથમિક સર્વે કરવા પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે.
સુનાવણી દરમિયાન એડવોકેટ કમિશનરોની ત્રણ સભ્યોની ટીમ દ્વારા સર્વેના સ્વરૂપ અંગે નિર્ણય લઈ શકાયો ન હતો. મુસ્લિમ અરજદારોએ દલીલ કરી હતી કે કૃષ્ણ જન્મભૂમિ કેસમાં તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેને પગલે હાઇકોર્ટે પોતાનો આદેશ અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન સીલબંધ કવરમાં એએસઆઇનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 21 ડિસેમ્બરે અરજદારોને સુપ્રીમ કોર્ટના આદેશની નકલ સાથે એએસઆઈ રિપોર્ટની કોપી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો જેમાં કૃષ્ણા જન્મભૂમિ મંદિર પરિસરની બાજુમાં શાહી ઈદગાહ મસ્જિદના પ્રાથમિક સર્વેની મંજૂરી આપવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે એડવોકેટ કમિશનરોની કોર્ટની દેખરેખ હેઠળની ત્રણ સભ્યોની ટીમ દ્વારા ઈદગાહ સંકુલના પ્રાથમિક સર્વેની મંજૂરી આપી હતી.
ઈદગાહ સંકુલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એક ડઝનથી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેમાં હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણના જન્મસ્થળની 13.37 એકર જમીન પર એક મંદિર તોડીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબે મસ્જિદનું નિર્માણ કર્યું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!