રામ મંદિર આમંત્રણના વિવાદ પર બોલ્યા કેશવ પ્રસાદ મોર્ય, જેમનું પેટ ખરાબ હોય એ હાજમોલા ખાઇ લે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રાજનીતિ તેજ થઈ ગઈ છે. આમંત્રણ મળ્યું હોવા છતાં, ઘણા વિરોધ પક્ષો આ કાર્યક્રમમાં હાજરી આપવા અંગે મૂંઝવણમાં છે, જ્યારે ઘણા નેતાઓ કહી રહ્યા છે કે તેમને આમંત્રણ મળ્યું નથી.
રામ મંદિરને લઈને ચાલી રહેલી રાજનીતિ વચ્ચે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ભગવાન શ્રી રામ દરેકના છે. દરેક વ્યક્તિએ મંદિરની મુલાકાત લેવી જોઈએ અને જેમનું પેટ ખરાબ છે તેઓએ હજમોલા ખાઈ લેવી જોઇએ
જેમની બુદ્ધિ ક્ષતિગ્રસ્ત છે, તેમની બુદ્ધિ શુદ્ધ થાયઃ કેશવ પ્રસાદ મૌર્ય
વિપક્ષ પર નિશાન સાધતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, "હું કોઈના કહેવા પર કંઈ કહેવા માંગતો નથી, હું માત્ર ભગવાન રામલલાને પ્રાર્થના કરવા માંગુ છું કે જેમની બુદ્ધિ કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત છે તેમની બુદ્ધિ શુદ્ધ થાય. ભગવાન શ્રીરામ બધાના હતા, બધાના છે અને બધાના રહેશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લા તેમના જન્મસ્થળ પર બિરાજમાન થશે અને ભગવાન રામ લલ્લા તેમના જન્મસ્થળ પર અનંતકાળ સુધી રહેશે."
રામ મંદિર પર રાજનીતિ પર વળતો પ્રહાર
કેશવ મૌર્યએ કહ્યું, "લોકો 22 જાન્યુઆરી પછી પણ દર્શન માટે આવી શકે છે, જો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરાયેલા લોકો 22 જાન્યુઆરીએ અયોધ્યા આવે છે, તો ઉત્તર પ્રદેશ સરકાર હોવાના કારણે અમે તમામ મહેમાનોનું, પૂજનીય સંતોનું હાર્દિક સ્વાગત કરીશું, તેમની રક્ષા કરીશું અને તેમને યોગ્ય વ્યવસ્થા પુરી પાડીશું
સપા નેતા ડિમ્પલ યાદવે કહ્યું છે કે જો તેમને આમંત્રણ મળશે તો તે જશે
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાંથી તમામ ઋષિ-મુનિઓ અને વિવિધ ક્ષેત્રની વીવીઆઈપી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આમાં ઘણા વિરોધ પક્ષોના ટોચના નેતાઓ પણ સામેલ છે. કોંગ્રેસના નેતાઓ સમારોહમાં ભાગ લેવાને લઇને મૂંઝવણમાં છે. સપા નેતા ડિમ્પલ યાદવે કહ્યું છે કે જો તેમને આમંત્રણ મળશે તો તે જશે, નહીંતર પછીથી દર્શન કરવા જશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!