ગાંધી પરિવાર પર હરિયાણાના CMનો કટાક્ષ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે..તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના નામાંકન દાખલ કરે છે અને જુએ છે કે જમીન પર કંઈ નથી, ત્યારે તેઓ તેમના નામાંકન પાછા ખેંચી લે છે. હવે, કોંગ્રેસના મોટા નેતાઓ, જેમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, તેઓ જ્યારે તેમના પગ નીચેની જમીન ખાલી હોવાનું અનુભવે છે ત્યારે તેઓ પોતે જ ઉમેદવારીપત્રો પાછી ખેંચી લે છે.. .
કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ જાય તેવી સ્થિતિઃ નાયબ સિંહ સૈની. સીએમ નાયબ સિંહ સૈનીએ વધુમાં કહ્યું કે, "કોઈ ઈચ્છતું નથી કે આટલો ખર્ચ કર્યા પછી આપણે આપણું માન ગુમાવીએ. કારણ કે કોંગ્રેસની હાલ ડિપોઝિટ જપ્ત થઇ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના લોકોએ જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.'કોંગ્રેસ પાર્ટીને ગાળો આપનારાઓને ભેટી પડ્યા'
સોનીપતથી ભાજપના ઉમેદવાર મોહન લાલ બડોલીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ તેમના પરિવારને બચાવવા માટે પાર્ટીને અપમાનિત કરનારાઓને ગળે લગાવી રહ્યા છે.. કોંગ્રેસ પાસે વિકાસને લઈને કોઈ એજન્ડા નથી, તેમની પાસે દેશની જનતા માટે કોઈ એજન્ડા નથી. તેમનો એક જ એજન્ડા છે કે પરિવારને કેવી રીતે બચાવવો, ભ્રષ્ટાચારીઓને કેવી રીતે બચાવવા
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!