પહેલા અયોધ્યા પછી અબુધાબી, 2024 માટે ભાજપનો મંચ તૈયારઃ થરૂર
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રાજકારણ તેજ થઈ ગયું છે. સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો પણ આ મુદ્દે એકબીજાને ઘેરી રહ્યા છે. હવે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે મંદિરને મુદ્દો બનાવી ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
-- નરેન્દ્ર મોદી એ સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હૃદય સમ્રાટ છેઃ થરૂર :- 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને થોડા દિવસો પછી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને લઈને શશિ થરૂરે કહ્યું છે કે આ બંને ઘટનાઓ થકી 2024ની ચૂંટણી માટે ભાજપ મંચ તૈયાર કરી રહ્યું છે. શશિ થરૂરે આગાહી કરી હતી કે આ પછી ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. થરૂરે કહ્યું કે 2024 માટે નરેન્દ્ર મોદી એ સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હ્રદય સમ્રાટ છે.
-- 2024માં ભાજપ તેના મૂળ સ્વરૂપમાં પાછું આવી જશેઃ થરૂર :- થરૂરે વધુમાં કહ્યું કે, "2019માં, જ્યારે વિનાશકારી નોટબંધીને કારણે બધુ ખોટું થઇ રહ્યુ હતું , ત્યારે નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલાને સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બનાવીને તેના પર રાજનીતિ કરી હતી. હવે 2024માં ભાજપ ફરીથી તેના મૂળ સ્વરૂપમાં પાછુ આવી જશે.
-- મોદી ફેબ્રુઆરીમાં અબુધાબીમાં મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે :- તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ વિપક્ષ આ કાર્યક્રમમાં ભાગ લેવો કે નહીં તેના પર વહેંચાયેલો છે, તો બીજી તરફ પીએમ મોદીએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારી લીધું છે, જે UAEમાં સૌથી મોટું હિન્દુ મંદિર હશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!