જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
NEWS UPDATE :જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શનિવારે બપોરે 2.53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 આંકવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને ડોડામાં શુક્રવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન કિશ્તવાડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. જોકે હવે ભૂકંપમાં 8નો વધારો જોવા મળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર કાશ્મીરની ધરતી ધ્રૂજી ગઈ. ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 આંકવામાં આવી હતી.
નોંધનીય છે કે કિશ્તવાડમાં ભૂકંપના કારણે એક દિવસમાં બે વખત ધરતી ધ્રૂજી હતી. ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર આવીને ઉભા રહી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ વારંવાર આવતા ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!