મકરસંક્રાંતિના દિવસે ગ્રહો અનુસાર કરો દાન, મળશે બમણું પુણ્ય
હિંદુ ધર્મમાં દાન કરવું એક મહાન પુણ્ય માનવામાં આવે છે. તે જ રીતે જો કોઈ શુભ સમય અને તિથિ પર દાન કરવામાં આવે તો પ્રાપ્ત લાભ બમણો થાય છે.
હિંદુ માન્યતા અનુસાર જે વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો દાનમાં આપે છે તેનામાં ક્યારેય પુણ્યની કમી નથી રહેતી.
શું તમે જાણો છો કે ગ્રહો અનુસાર દાન કરવાથી તમે ઘણી નકારાત્મક પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકો છો. જન્માક્ષર મુજબ, જો તમે અશુભ પરિણામ આપતા ગ્રહોને ધ્યાનમાં રાખીને અથવા નોકરી, રોગ, અભ્યાસમાં અવરોધો જેવી તમારી અંગત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દાન કરો છો, તો તમને તેમાંથી જલ્દી જ રાહત મળી શકે છે. મકરસંક્રાંતિ દરમિયાન દરેક વ્યક્તિ કંઈક ને કંઈક દાન કરે છે, આવી સ્થિતિમાં તમે ગ્રહો અનુસાર દાન કરો તો સારું રહેશે.
નોકરી સંબંધિત સમસ્યાઓ
જો તમને નોકરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અથવા રોગોના કારણે ઘણીવાર કોઈ સમસ્યા આવી રહી છે, તો મકરસંક્રાંતિના દિવસે તમે ઘઉં, ગોળ, ઘી, મીઠાઈ અને દક્ષિણા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા સંકલ્પ લઈને પંડિતજીને દાન કરવું જોઇએ. આમ કરવાથી સમસ્યામાંથી રાહત મળે છે.
માનસિક ચિંતા
જો તમે ઘણા દિવસોથી માનસિક ચિંતાઓથી ઘેરાયેલા છો અને તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ તમે તે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકતા નથી, તો ખાસ કરીને કન્યા અને મીન રાશિના લોકોએ લોખંડની વસ્તુઓ, કાળા તલ, વાદળી વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જેથી આ સમસ્યામાં રાહત મળે છે
ગ્રહોની સમસ્યા
જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો છે અથવા અશુભ ગ્રહોની સાથે છે તેઓને નાની નાની બાબતોમાં નિરાશા, વારંવાર શરદી-ખાંસી, આત્મવિશ્વાસનો અભાવ વગેરે જેવી સમસ્યા હોય છે. ચંદ્રને મજબૂત કરવા માટે તમે મકરસંક્રાંતિના દિવસે ખાંડ, ચોખા, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરી શકો છો.
સાડાસાતી પનોતી
જે લોકો હાલમાં સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે - જેમ કે મકર, કુંભ, મીન, તેમણે મકરસંક્રાંતિના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી તેમને નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે. અડદની દાળ, કોઈપણ લોખંડની વસ્તુ, કાળા તલ અથવા કાળા તલના લાડુનું દાન કરો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!