Dark Mode
Image
  • Monday, 20 May 2024

અયોધ્યામાં રામ લલ્લાનું 'દિવ્યભિષેક', વિશેષ યંત્રથી કરવામાં આવશે સૂર્ય તિલક

અયોધ્યામાં રામ લલ્લાનું 'દિવ્યભિષેક', વિશેષ યંત્રથી કરવામાં આવશે સૂર્ય તિલક

બુલેટિન ઈન્ડિયા :રામનવમી 2024 આજે દેશભરમાં ઉજવવામાં આવે છે. રામનગરીમાં આ રામ નવમી ખાસ છે, કારણ કે નવા મંદિરમાં રામ લલ્લાના જન્મની ઉજવણી થઈ રહી છે. આ ક્ષણ કરોડો રામ ભક્તો માટે ખાસ હશે. જન્મ બાદ સૂર્ય વિશેષ યંત્રથી તેમનો તિલક કરાશે. રામનવમી નિમિત્તે દેશભરના ભક્તોએ પ્રાર્થના કરી હતી અને ભગવાન રામના આશીર્વાદ માંગ્યા હતા. અયોધ્યામાં હનુમાન ગઢી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે પૂજા-અર્ચના કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

 

 

રામનવમી નિમિત્તે અયોધ્યામાં આસ્થાનું ઘોડાપૂર આવ્યું હતું. રામલલાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં છે. રામનવમીના તહેવાર પર રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે રામ લાલાને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યો હતો. તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આજે રામનવમીનો મેળો છે. ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે અને આજે બધું જ ખાસ છે.

 

 

રામનવમી નિમિત્તે અયોધ્યામાં રામ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. રામ લલ્લાના અભિષેક બાદ પહેલીવાર અયોધ્યાના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે "આજે શ્રી રામ નવમીના શુભ પ્રસંગે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો".

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!