ભગવંત માન અને સંજયસિંહ આજે જેલમાં કેજરીવાલને નહીં મળી શકે, સુરક્ષાનું અપાયું કારણ
પંજાબના સીએમ ભગવંત માન અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ બુધવારે તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી શકશે નહીં. તિહાર જેલ પ્રશાસને સુરક્ષાના કારણો દર્શાવ્યા છે. અગાઉ અરવિંદ કેજરીવાલને મળવા માટે ભગવંત માન અને સંજય સિંહની મુલાકાત નક્કી કરવામાં આવી હતી. હવે તિહાર જેલ પ્રશાસન નવો સમય કહેશે.
-- આ અગાઉ ઇડીએ કેજરીવાલની અરજી ફગાવી :- આ અગાઉ, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે ED દ્વારા તેમની ધરપકડ અને કસ્ટડીના ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ EDની દલીલની નોંધ લીધી કે કેજરીવાલની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે.
-- કોર્ટે કહ્યું ઇડી પાસે પૂરતા પૂરાવા :- કોર્ટે કહ્યું, "અમારી સમક્ષ મૂકવામાં આવેલી ફાઈલો અને પુરાવા દર્શાવે છે કે EDએ કાયદાનું પાલન કર્યું છે. ટ્રાયલ કોર્ટનો આદેશ બે લીટીનો આદેશ નથી. ED પાસે હવાલા ડીલરો તેમજ ગોવા ચૂંટણીમાં AAP ઉમેદવારોના નિવેદનો પણ છે." ગયા અઠવાડિયે, EDએ કેજરીવાલની અરજી પર તેનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!