Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

તુલા (ર,ત) રાશિ:

 

 

તુલા રાશિ ના જાતકો માટે આવનાર વર્ષ 2080 એકંદરે શુભ ફળ આપનાર રહેશે. તમારા કેટલાક અટકેલા કાર્યો પૂરા થશે સાથે સાથે નોકરી વ્યવસાય ધંધામાં પણ પ્રગતિ થાય તેવા સંકેતો મળે છે. પરંતુ ખોટા ખર્ચા અથવા ખોટી ઉપાધિયોમાં ના ફસાવો તેનું ધ્યાન રાખો.

 

સામાન્ય રીતે સ્વાસ્થ્ય બાબતમાં આવનાર વર્ષ તમારા માટે સુંદર અને શુભ રહેશે. જૂની બીમારીમાં પણ રાહત મળશે અને કુટુંબ પરિવાર સાથેનો તાલમેલ પણ સારો રહેશે. પારિવારિક વ્યક્તિઓ વચ્ચે જે મત મતાંતર હોય તેમાં સમાધાન થાય અને આર્થિક સકળામણમાં થોડી રાહત મળશે.

 

નવા કાર્યમાં તમે જોડાશો તેનો લાભ પણ મળી શકે છે. નોકરી વ્યવસાય ધંધામાં પ્રગતિના સમય દેખાય છે. આજે તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી તેમાં રાહત મળશે. ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નો નો કંઈક સારો રસ્તો નીકળશે ફસાયેલા નાણા પરત આવે તેવા સંકેતો પણ દેખાય છે.

 

શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો સાવધાન રહેવું અથવા થોડા દૂર રહીને કામ કરવું નુકસાન ની સંભાવના વધારે છે. સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે અને સંતાનના કેરિયર અંગેની જે ચિંતા હતી તેમાં પણ રાહત મળશે. તેમને નવી નોકરી અથવા વ્યાપાર મળી શકશે. કોર્ટ કચેરીમાં ચાલતી મેટરોમાં પણ સમાધાનનો માર્ગ અપનાવવું જરૂરી છે.

 


પતિ પત્નીના સંબંધોમાં જે અડચણ છે તે દૂર થઈ જશે. લગ્ન વગેરેની વાતો અટકતી હોય તો તેમાં પણ સુધારો થશે એટલે લગ્ન થવાના ચાન્સ વધી રહ્યા છે. આ વર્ષ તમારા ઘરે કોઈ સારો પ્રસંગ આવશે તમારા ભાગીદારો સાથેના સંબંધો પણ સુધરશે અને નવા કાર્યોમાં તમે આગળ વધશો. ખાસ કરીને ખોટા કામ થી બચવાની જરૂર છે. ખોટા ખાનપાનથી દૂર રહેજો અને ખોટા વ્યસનથી પણ દૂર રહેવું. કોઈની પણ ખોટી સાક્ષી આપવી નહીં.

 

 

તુલા રાશિના જાતકો માટે ઉપાય 


તુલા રાશિના જાતકો માટે ઉપાય તરીકે તમારે દર બુધવારે કોઈ એક દિવ્યાંગને ભોજન કરાવવું. સૂર્ય ભગવાનને જળ ચડાવવું. સૂર્ય ચાલીસા ના પાઠ કરવા અથવા ગાયત્રી ચાલીસા ના પાઠ કરવા. કુળદેવી માતાને શ્રીફળ અને ચુંદડી મહિનામાં એક વખત ચડાવવી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!