Dark Mode
Image
  • Monday, 20 May 2024

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે

વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: જાણો વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે

દિવાળી થી દિવાળીનો સમય આપના માટે કેવો રહેશે તે જાણો. આ લેખમાં અમારા દરેક વાચકોને શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન તથા સાલ મુબારક અને જય શ્રી કૃષ્ણ.  વર્ષ દરમિયાન આપ સૌના ઉપર ભગવાન નારાયણ ની કૃપા રહે માતા લક્ષ્મી પ્રસન્ન રહે ભગવાન ધનવંતરી સુખી રાખે અને ઉત્તરો તરફ પ્રગતિ કરતા રહો તેવી ભગવાન નારાયણને પ્રાર્થના.

 

આ વર્ષ દરમિયાન શરૂઆતમાં રાહુ શનિઅને કેતુ તથા ગુરુ આ મુખ્ય ગ્રહો મોટાભાગે બદલાશે નહીં. કદાચ મારગી વક્રી અસ્ત કે ઉદિત થશે અન્ય ગ્રહો શુક્ર સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્રમા એ નિયમિત બદલાશે અને તેમની અસર અલગ અલગ સમયે અલગ અલગ રીતે રહેશે તેની અસરો પણ તમને સમયાંતરે ખબર પડતી રહેશે.

 

આપણે હાલ જોઈશું 12 રાશિઓના જાતકોનું આ વર્ષ કેવું રહેશે અને વર્ષ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરી તમે સમયને વધારે ઉપયોગી બનાવી શકશો.

 

વિક્રમ સંવત 2080નું નવુ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણો.

 

વૃશ્ચિક (ન,ય) રાશિ:

 

 

વૃશ્ચિક રાશિ ના જાતકો માટે આવનાર વર્ષ વિક્રમ સંવત 2080 એકંદરે સારો અને ઉત્તમ રહેશે પરંતુ કેટલાક નુકસાનો ને બાદ કરતાં સરવાળે સારો રહેશે. સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો તમારા માટે આવનાર વર્ષ સારા સ્વાસ્થ્યનો પ્રતિક રહેશે જૂની બીમારીમાં પણ રાહત મળશે. પૈસાની આર્થિક આવક તો થશે પરંતુ ખર્ચનું પ્રમાણ પણ તેટલું જ રહેશે. ખર્ચ પર કંટ્રોલ કરવું જરૂરી છે. આપણું બેંક બેલેન્સ વપરાય નહીં તેની કાળજી લેવી.


કુટુંબમાં અને પરિવારના બાબતમાં આવનાર વર્ષ ઉત્તમ અને શ્રેષ્ઠ રહેશે. પરિવાર સાથેનો તાલમેલ સારો રહેશે તેમની સાથેના વાદવિવાદો દૂર થશે. નોકરી ધંધા વ્યાપારમાં સારું લાભ મળશે તમે આગળ વધશો કંઈક નવું કાર્ય પણ તમે કરી શકશો.


જમીન મકાનની બાબતમાં ઉત્તમ વર્ષ છે. નવા મકાન અથવા નવી જમીનની ખરીદી કરશો અને સાથે સાથે માતાના સ્વાસ્થ્યને પણ લાભ થાય એવા સંકેતો મળે છે. શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેવું. સંતાન અંગેની ચિંતામાં થોડો વધારો થશે. કેરિયર વગેરેની ચિંતા તમને રહેશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને રાહત મળશે. જો તમે દેવું વધારવા માગતા હો તો એ સમય બરાબર નથી. માટે દેવાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.

 

ખોટા નાણાકીય વ્યવહારો કરવા નહીં. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. તમારા જીવનમાં જે અડચણો હતી એ દૂર થશે. થોડી આર્થિક સકળામણને બાદ કરતા એકંદરે સુખમય જીવન રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને તેવી સંભાવના દેખાય છે. એટલે લગ્ન વગેરેની વાતો પૂરી થશે ઉત્તરાર્ધમાં કોઈ વડીલ થી છુટા પડવાનું પણ થઈ શકે છે. દરમિયાન ખોટા કામથી દૂર રહેવું ખોટા માણસોને સલાહથી ચાલવું નહીં. ખોટો કોઈના ઉપર વહેમ કરવો નહીં અને વ્યસનથી અને ખોટા ખાનપાનથી દૂર રહેવું.

 

 

વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાય 


વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાય તરીકે તમારે હનુમાન ચાલીસા ના રેગ્યુલર એક પાઠ કરવા અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં મોતીચૂરના લાડુ ચડાવવા. બુધવારે દિવ્યાંગ ને ભોજન અને વસ્ત્ર આપવું. પોતાના ઇષ્ટદેવના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરવું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!