અદાણી કેસઃ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, ગૌતમ અદાણી કહ્યું 'સત્યનો વિજય થયો'
સુપ્રીમ કોર્ટે અદાણી-હિન્ડેનબર્ગ કેસની સેબીની તપાસમાં દખલગીરીને નકારી કાઢી છે અને તપાસને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને ટ્રાન્સફર કરવા માટેના કોઈ આધારો ન હોવાનું જણાવ્યું છે.
અદાણી-હિન્ડેનબર્ગ કેસની સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર.
સુપ્રીમ કોર્ટે બુધવારે અદાણી-હિન્ડેનબર્ગ કેસની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે 'સેબી પાસેથી તપાસને એસઆઇટી (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ)માં તબદીલ કરવા માટે કોઇ આધાર નથી', જ્યોર્જ સોરોસની આગેવાની હેઠળની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)નો અહેવાલ સેબીના અહેવાલ પર શંકા કરવા માટેનો આધાર ન હોઇ શકે.
સુપ્રીમ કોર્ટ અદાણી-હિન્ડેનબર્ગ વિવાદમાં ભારતીય કોર્પોરેટ જાયન્ટ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપો અંગે અરજીઓની બેચની સુનાવણી કરી રહી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે ચાર જેટલી અરજીઓ પર ચુકાદો આપ્યો હતો.
"સેબીના નિયમનકારી માળખામાં પ્રવેશવાની આ કોર્ટની સત્તા મર્યાદિત છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) અને લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ (એલઓડીઆર) નિયમનો પરના તેના સુધારાને રદ કરવા માટે સેબીને નિર્દેશ આપવા માટે કોઈ માન્ય આધારો ઉભા કરવામાં આવ્યા નથી. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, નિયમો કોઈ પણ પ્રકારની ખામીથી પીડાતા નથી.
"સેબીએ 22 માંથી 20 બાબતોમાં તપાસ પૂર્ણ કરી લીધી છે. સોલિસિટર જનરલની ખાતરીને ધ્યાનમાં રાખીને, અમે સેબીને અન્ય બે કેસોમાં તપાસ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવા નિર્દેશ આપીએ છીએ.
કોર્ટે જણાવ્યું હતું કે, "કાનૂની નિયમનકાર દ્વારા તપાસ પર શંકા કરવા માટે અસમર્થિત સમાચાર અહેવાલો અને તૃતીય-પક્ષ સંગઠનો પરની નિર્ભરતાને સ્વીકારી શકાતી નથી." નિષ્ણાત સમિતિના સભ્યો તરફથી હિતોના સંઘર્ષ અંગે અરજદારોની દલીલોને પણ નકારી કાઢી હતી.
કોર્ટે ઉમેર્યું હતું કે, "ભારત સરકાર અને સેબીએ એ બાબતની તપાસ કરવી જોઈએ કે શોર્ટ સેલિંગ અંગેના હિન્ડેનબર્ગ રિપોર્ટમાં કાયદાનું કોઈ ઉલ્લંઘન છે કે કેમ અને જો તેમ હોય તો કાયદા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ."
સુપ્રીમ કોર્ટે અદાણી-હિન્ડેનબર્ગ કેસની સેબીની તપાસ વિશેષ તપાસ ટીમને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યા બાદ ગૌતમ અદાણીએ કોર્ટના નિર્ણયને વધાવી લેતાં કહ્યું હતું કે સત્યનો વિજય થયો છે.
ગૌતમ અદાણીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું, "માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો બતાવે છે કે: સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. જે લોકો અમારી સાથે ઉભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસગાથામાં આપણું નમ્ર પ્રદાન ચાલુ રહેશે. જય હિન્દ."
The Hon'ble Supreme Court's judgement shows that:
— Gautam Adani (@gautam_adani) January 3, 2024
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India's growth story will continue.
Jai Hind.
સુપ્રીમ કોર્ટે અદાણી-હિન્ડેનબર્ગ કેસમાં માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે 'સેબી પાસેથી તપાસને એસઆઇટી (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ)માં તબદીલ કરવા માટે કોઇ આધાર નથી', જ્યોર્જ સોરોસની આગેવાની હેઠળનો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)નો અહેવાલ સેબીના અહેવાલ પર શંકા કરવા માટેનો આધાર ન હોઈ શકે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!