માળીયા હાટીના મામલતદાર ઓફિસના પ્રશ્ન બાબતે બેઠક યોજાઈ || A meeting was held on the question of mamlatdar office of Malia Hati ||
માળીયા હાટીના મામલતદાર ઓફિસના પ્રશ્ન બાબતે બેઠક યોજાઈ
માળીયા હાટીના મામલતદાર ઓફિસના પ્રશ્ન બાબતે હિતરક્ષક સમિતિની બેઠક યોજાઈ.માળીયા હાટીનામાં હાલની મામલતદાર ઓફીસે જ નવી મામલતદાર ઓફીસ બનાવવાની ન્યાયી માગણીને ન્યાય મળે તે હેતુથી માળીયા હાટીના હિતરક્ષક સમિતિ દ્વારા બીન રાજકીય મીટીંગ સોની મહાજન વાડી ખાતે રાખવામાં આવેલ હતી.
મામલતદાર ઓફીસ નવી બનાવવા પ્રશ્ને બેઠક યોજાઈ
આ બેઠકમાં માળીયા હાટીના હીતરક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સીસોદીયા,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્ર ભાઈ ગાંધી, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, પૂર્વ સરપંચ નટવરસિંહ સીસોદીયા, અમીનભાઈ પઠાણ, હકુભાઈ જોશી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવેલ કે તાજેતરમાં તા 14/7/23 ના રોજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ માળીયા હાટીના મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઓફીસ નવી નહિ બનતા આંદોલનની ઉચ્ચારી હતી ચીમકી
જેમાં તા.6/8/23 સુધીમાં હાલની જગ્યા પર નવી મામલતદાર ઓફીસ બનવવામાં નહિ આવે તો તા.7/8/23ના રોજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનું કરવાનું જણાવ્યું હતું. જો કે રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં રજુઆત કરરવાની ખાત્રી મળતા આંદોલન મોકૂક રાખવામાં આવ્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!