વોટિંગ માટે વપરાતી શાહીનો શું છે ઇતિહાસ
વોટિંગ દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે જેથી કરીને મતદાર ફરી વોટ ન કરી શકે. નકલી મતદાનને રોકવા માટે આવું કરવામાં આવે છે. આ શાહી આંગળીમાંથી જલ્દી ઉતરતી નથી. તેના નિશાન આંગળી પર લાંબા સમય સુધી રહે છે. ખાસ વાત એ છે કે આ શાહી આંગળી પર લગાવ્યા બાદ માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
ઇલેક્શન ઇન્ક શું છે?
પાણી આધારિત શાહી એ સિલ્વર નાઈટ્રેટ, વિવિધ રંગો અને કેટલાક સોલવન્ટ્સનું મિશ્રણ છે. લોકો તેને ઈલેક્શન ઈંક અથવા ઈન્ડેલીબલ ઈંકના નામથી ઓળખે છે. એકવાર આંગળીના નખ અને ત્વચા પર 40 સેકન્ડની અંદર લાગુ કર્યા પછી, તે લગભગ અદમ્ય છાપ છોડી દે છે. આ શાહી 72 કલાક સુધી ભૂંસી નથી શકાતી અને તેનો રંગ 15 દિવસ સુધી રહે છે.
શા માટે જરૂરી હતી?
દેશમાં પ્રથમ વખત 1951-52માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઘણા લોકોએ એક કરતા વધુ વોટ આપ્યા હતા. લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. આ સમસ્યાના સમાધાન માટે ચૂંટણી પંચ એવી શાહી શોધી રહ્યું હતું જે સરળતાથી ભૂંસી ન શકાય. ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેમણે આ શાહી તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય છે. જણાવી દઈએ કે આ શાહીનો ઉપયોગ 1962ની ચૂંટણીથી લઈને અત્યાર સુધી થઈ રહ્યો છે.
એક જ કંપની આ શાહી બનાવે છે
દક્ષિણ ભારતમાં સ્થિત મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (MVPL) નામની કંપની આ શાહી બનાવે છે. આ કંપનીની સ્થાપના 1937માં મૈસુર પ્રાંતના તત્કાલીન મહારાજા નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી. કંપની આ શાહી માત્ર સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીઓને પૂરી પાડે છે. આ શાહી બજારમાં વેચાણ માટે આપવામાં આવતી નથી. આ કંપનીની ઓળખ આ શાહીથી જ છે..
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!