Dark Mode
Image
  • Thursday, 09 May 2024

સુનિતા કેજરીવાલે રોડ શોથી કરી પ્રચારની શરૂઆત

સુનિતા કેજરીવાલે રોડ શોથી કરી પ્રચારની શરૂઆત

બુલેટિન ઈન્ડિયા : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ રોડ શો માટે કલ્યાણપુરી પહોંચયા છે. તે પૂર્વ દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં વોટ માંગી રહયા છે. કારના સનરૂફમાંથી બહાર આવીને તે લોકોનું અભિવાદન સ્વીકારી રહી છે. તેમની સાથે પાર્ટી સમર્થકોની મોટી ભીડ જોવા મળી રહી છે. લોકો તેમના સ્વાગત માટે ઘરની બહાર આવી રહ્યા છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહે રોડ શોમાં કહ્યું કે જ્યારે દેશના તાનાશાહ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દીધા છે.

 

 

તેમની પત્ની સુનીતા કેજરીવાલ જી મોદી સરકારના ગુનાઓનો જવાબ આપવા માટે હિંમતભેર મેદાનમાં છે. આજે કુલદીપ કુમાર માટે એક વિશાળ રોડ શો કરીને તે જનતાને જેલવાસ માટે વોટ કરવાની અપીલ કરી રહયા છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું કે સુનિતા કેજરીવાલ શનિવારે પૂર્વ દિલ્હી વિસ્તારમાં રોડ શોથી અભિયાનની શરૂઆત કરશે. આ પછી, તે રવિવારે પશ્ચિમ દિલ્હીમાં રોડ શો કરશે. દિલ્હી બાદ તે પંજાબ, ગુજરાત અને હરિયાણામાં પણ AAP ઉમેદવારો માટે પ્રચાર કરશે.

 

 

આતિશીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાનો ભાજપનો દાવો 100 ટકા નિષ્ફળ ગયો છે. દેશભરમાં લોકો કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે અને મતદાન કરીને તેનો જવાબ આપશે. તેમણે કહ્યું કે ભાજપે જાણવું જોઈએ – દિલ્હી, પંજાબ અને સમગ્ર દેશના લોકો અરવિંદ કેજરીવાલ સાથે ઉભા છે; જનતા ચોક્કસપણે કેજરીવાલને આશીર્વાદ આપશે અને AAPને મત આપશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!