Dark Mode
Image
  • Friday, 17 May 2024

‘રાહુલ ગાંધીએ પાકિસ્તાન જઇ ચૂંટણી લડવી જોઇએ’ કોંગ્રેસનો મેનિફેસ્ટો જોઇ આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું નિવેદન

‘રાહુલ ગાંધીએ પાકિસ્તાન જઇ ચૂંટણી લડવી જોઇએ’ કોંગ્રેસનો મેનિફેસ્ટો જોઇ આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું નિવેદન

કલ્કિ ધામ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ચૂંટણી લડવાના પ્રશ્ન પર તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેઓએ હવે પાકિસ્તાનના રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ બરબાદ થઈ ગઈ છે અને વારંવાર ભગવાન રામનું અપમાન કરી રહી છે, જેના કારણે તેમને પરિણામ ભોગવવા પડી રહ્યા છે.

 

-- પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા છે પ્રમોદ કૃષ્ણમ :- પક્ષ વિરોધી નિવેદનબાજીના કારણે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કોંગ્રેસના ઘોષણાપત્ર પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જિન્નાહનો ઢંઢેરો દેખાય છે. તેમણે કહ્યું કે, આ દેશ માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ હવે મહાત્મા ગાંધીની નથી.

 

-- કોંગ્રેસનો ઢંઢેરો મોહમ્મદ અલી ઝીણાના ઢંઢેરા જેવો દેખાય છે :- કોંગ્રેસના પૂર્વ નેતાએ કહ્યું, "કોંગ્રેસના મેનિફેસ્ટોને જોતા એવું લાગે છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી, પરંતુ મોહમ્મદ અલી ઝીણાની કોંગ્રેસ છે અને કોંગ્રેસનો આ મેનિફેસ્ટો મલ્લિકાર્જુન ખડગેનો મેનિફેસ્ટો નથી લાગતો પરંતુ ઝીણાનો મેનિફેસ્ટો. લાગે છે...તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાસે હવે ન તો નીતિ બચી છે, ન ઈરાદા બચ્યા છે, ન નેતાઓ બાકી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!