કેનેડામાં જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી, તે જ પ્રાંતના પ્રીમિયરે 'પુરાવા' માગ્યા, મુશ્કેલીમાં PM જસ્ટિન ટ્રુડો
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો વધુ મુશ્કેલીમાં ફસાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા મામલે હવે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પ્રીમિયર ડેવિડ એબીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પર માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ડેવિડ એબીએ દાવો કર્યો છે કે તેમને પણ જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો વિશે જાણ કરવામાં આવી ન હતી. એબીના કહેવા પ્રમાણે, માહિતી સાર્વજનિક થવાના એક કલાક પહેલા જ તેને આ વિશે ખબર પડી હતી.
ડેવિડ એબી પ્રધાનમંત્રી ટ્રુડોને મળ્યા હતા. જે બાદ તેમણે આ દાવો કર્યો હતો. એબીએ જણાવ્યું હતું કે તેને ટ્રુડોના આરોપની જાણ થઈ હતી કે ભારત આ હત્યામાં સામેલ હોઈ શકે છે તેના સાર્વજનિક થવાના એક કલાક પહેલા જ. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે સંઘીય સરકાર રાજ્યો સાથે સુરક્ષા ગુપ્ત માહિતી શેર કરે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, કેનેડા સરકાર દ્વારા શરૂઆતથી જ પ્રાંતોને વિશ્વાસમાં લેવાની જરૂર છે.કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ કાયદા દ્વારા તેની ગુપ્ત માહિતી માત્ર ફેડરલ સરકાર સાથે શેર કરવાની આવશ્યકતા છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ અંતર્ગત મને માહિતી આપવામાં આવી હતી. પરંતુ તેણે આપેલી માહિતી પહેલાથી જ પબ્લિક ડોમેનમાં હતી, જે મદદરૂપ નથી.હકીકતમાં, ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, ભારતે આ આરોપોને તદ્દન પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ટ્રુડોના આ આરોપો પર એબીએ કહ્યું કે તે આ માહિતીથી ખૂબ જ પરેશાન અને ગુસ્સે છે. તેમણે ટ્રુડો સરકારને કોઈપણ વિદેશી હસ્તક્ષેપ અને આંતરરાષ્ટ્રિય સંગઠિત અપરાધના જોખમો સંબંધિત તમામ જરૂરી માહિતી અમારા પ્રાંત સત્તાવાળાઓ અને અમારી સરકાર સાથે શેર કરવા હાકલ કરી, જેથી અમે જોખમ ધરાવતા લોકોની સુરક્ષા માટે સાથે મળીને કામ કરી શકીએ.
-- ટ્રુડો પુરાવા વિના આક્ષેપો કર્યા :
જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં નિજ્જરને કેનેડિયન નાગરિક ગણાવ્યો હતો અને તેની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો.તેના જવાબમાં ભારતે પણ નવી દિલ્હીમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત ભારતે કેનેડિયનો માટે વિઝા સેવા પણ સ્થગિત કરી દીધી છે. એટલું જ નહીં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડા દ્વારા ભારતને કોઈ કથિત પુરાવા સોંપવામાં આવ્યા નથી. આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!