Dark Mode
Image
  • Friday, 03 May 2024

અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત

અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત

અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી 58 વર્ષીય વ્યક્તિનું મોત :ગુજરાત રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં દિવસે ને દિવસે વધારો થયો છે. અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. જેને લઇને આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આ વ્યક્તિની 13 દિવસથી સારવાર ચાલી રહી હતી. રાજસ્થાનથી આવ્યા બાદ તેઓ બિમારી પડ્યા હતા. ત્યારે અરવલ્લીમાં સ્વાઇનફલૂથી દર્દીનું મોત નીપજ્યું છે. ભિલોડાના રિંટોડા ગામના 58 વર્ષીય વ્યક્તીનું સારવાર બાદ મોત થયું છે.

 

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઇ ચુકી છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. ભિલોડાના રિંટોડા ગામના 58 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. જેઓ રાજસ્થાનથી આવ્યા બાદ સ્વાઇન ફ્લૂમાં આવ્યા હતા અને તેમની હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી.

 

3 મહિનામાં 630 કેસ સામે આવ્યા  :રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. છેલ્લા 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા જેમાંથી 15 લોકોના મોત થયા છે. ત્યારે આજે અરવલ્લીમાં એક મોત થતા કુલ મોતનો આંકડો 16 પર પહોચ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!