એક તરફ શાહજહાં શેખની ધરપકડ, બીજી બાજુ ચારેબાજુથી ઘેરાયેલા મમતાએ તેમની પક્ષમાંથી કરી હકાલપટ્ટી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આખરે સંદેશખાલી કેસના મુખ્ય સૂત્રધાર શાહજહાં શેખને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. શાહજહાં શેખ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે થોડા કલાકો પહેલા જ શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી આપતાં ટીએમસી નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે પાર્ટીએ શાહજહાં શેખને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં, તૃણમૂલ કોંગ્રેસની આ કાર્યવાહીના થોડા કલાકો પહેલા, સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો પર હુમલાના 55 દિવસ પછી, પોલીસે ઘટનાના મુખ્ય સૂત્રધાર એવા સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાં શેખની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે તેની ધરપકડના સમય અને સ્થળ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી. હવે આ ઘટના બાદ મમતા બેનર્જીની પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
-- સ્થાનિક લોકોની હેરાનગતિની ફરિયાદો :- અગાઉ કોલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. શિવગણનમે બુધવારે કહ્યું હતું કે રાજ્ય અથવા કેન્દ્રની કોઈપણ એજન્સીને શાહજહાંની ધરપકડ કરવાનો અધિકાર છે, તેમણે ઉમેર્યું હતું કે કેટલાક વર્ષોથી તેમની વિરુદ્ધ સ્થાનિક લોકો તરફથી ઉત્પીડનની ફરિયાદો મળી રહી છે. બુધવારે જ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે તૃણમૂલ નેતા શાહજહાં મંગળવાર મધરાતથી મમતા પોલીસની સલામત કસ્ટડીમાં છે. અહેવાલો અનુસા શાહજહાંને બસીરહાટ સબ-ડિવિઝનલ કોર્ટના પરિસરમાં લોકઅપમાં રાખવામાં આવ્યા છે.
-- મમતા બેનર્જી ચારે બાજુથી ઘેરાયેલા હતા :- શાહજહાં ફરાર હોવાના કારણે મમતા બેનર્જી ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. સંદેશખાલીના સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે તેઓ તેમને ઉત્તર 24 પરગણા જિલ્લામાં અને તેની આસપાસ જોયા છે. રાજ્ય પોલીસ પર પણ તેમને રક્ષણ આપવાનો આરોપ હતો. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે પોલીસ શેખ શાહજહાંની ધરપકડ કરી રહી નથી કારણ કે કોલકાતા હાઈકોર્ટે તેની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ, જસ્ટિસ શિવગણનમે મંગળવાર અને બુધવારે સ્પષ્ટતા કરી હતી કે તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!