Navratri 2023: ઉપવાસ તોડ્યા બાદ નહીં થાય ગેસ અને એસિડિટીની સમસ્યા, આ વાતોનું રાખો ધ્યાન
નવરાત્રિના નવ દિવસના ઉપવાસ તોડ્યા બાદ જો અહીં જણાવેલી વાતોનું ધ્યાન રાખશો તો તમને ગેસ, એસિડિટી જેવી સમસ્યા નહીં થાય
શારદીય નવરાત્રિનો આજે આઠમો દિવસ છે અને આ ઉત્સવ હવે પૂર્ણ થવાના આરે છે. મા દુર્ગાની પૂજાની સાથે-સાથે લોકો માતાને પ્રસન્ન કરવા અને ઇચ્છિત પરિણામ મેળવવા માટે નવ દિવસ સુધી વ્રત રાખે છે. સામાન્ય રીતે કન્યા પૂજા અને હવન પછી નવમીના દિવસે ઉપવાસ તોડવામાં આવે છે.
પરંતુ, જ્યારે નવે નવ દિવસ ફળાહાર કર્યા પછી અચાનક અનાજ ખાવામાં આવે છે, ત્યારે ઘણા લોકોને પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યામાં ઘણી વખત દવા લેવાનો વારો આવે છે. જો તમે પણ નવ દિવસના ઉપવાસ તોડવા જઈ રહ્યા છો અને આ સમસ્યાઓનો સામનો કરવા નથી માંગતા તો આ વાતોનું ચોક્કસ ધ્યાન રાખો.
ખાલી પેટે ચા, કોફી ન પીવી
ખાલી પેટે ચા પીવાની આદત ગેસ અને એસિડિટીનું સૌથી મોટું કારણ છે. તેથી આ સમસ્યાને ટાળવા માટે ચા અને કોફીનું સેવન ખાલી પેટે ન કરવું.
નારિયેળ પાણીથી શરૂઆત કરો
ઉપવાસ તોડ્યા પછી તરત જ ચા કે કોફી પીવાને બદલે પહેલા નારિયેળ પાણી પીઓ. તેનાથી ગેસ અને એસિડિટી થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી જાય છે.
હળવો ખોરાક લો
ઉપવાસ કર્યા બાદ વ્યક્તિને ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય છે અને જો ધ્યાન રાખ્યા વિના ગમે તે આહાર લઈ લેવામાં આવે તો તેનાથી ગેસ અને એસિડિટી થાય છે. આવું ન થાય તે માટે તમે જે પણ ખાઓ, તેને ઓછી માત્રામાં ખાઓ. ઉપવાસને કારણે ચયાપચય ક્રિયા ધીમી પડી જાય છે અને આવી સ્થિતિમાં જો તમે તળેલો કે બહુ તીખો ખોરાક ખાઓ છો તો તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. ઉપવાસ તોડવા માટે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.
મસાલેદાર ખોરાક ટાળો
નવરાત્રિના ઉપવાસ બાદ તળેલી, મસાલેદાર વસ્તુઓ ભલે જીભને સારી લાગે, પરંતુ તે પેટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તેને ખાવાથી પેટમાં ગેસ બની શકે છે અને પેટમાં તીવ્ર દુખાવો થઈ શકે છે.
દહીંનું સેવન કરો
ઉપવાસ તોડવા માટે દહીં પણ એક સારો વિકલ્પ બની શકે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક ગુણો એસિડિટી અને ગેસની સમસ્યાને ઓછી કરે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!