નવરાત્રી 2023: જાણો નવરાત્રીના આઠમાં દિવસે કેવી રીતે કરશો માં મહાગૌરીની પૂજા?
નવરાત્રિનો પાવન તહેવાર શરુ થઈ ગયો છે. આદ્યશક્તિ જગદંબિકા ના 9 સ્વરૂપોનું પૂજન નવરાત્રીમાં થાય છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે માં મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. નવરાત્રિના આઠમાં નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામા આવે છે.
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. તેમનું પાત્ર સંપૂર્ણપણે સુંદર હોય છે. આ મહાનતાને શંખ, ચંદ્ર અને કુંડના ફૂલોથી સરખાવવામાં આવે છે. તેની ઉંમર આઠ વર્ષ માનવામાં આવે છે - 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી'. તેમના તમામ કપડાં અને આભૂષણો પણ સફેદ છે.
માતા મહાગૌરીને ચાર હાથ છે. તેમનું વાહન વૃષભ છે. તેના જમણા હાથના ઉપરના ભાગમાં અભય મુદ્રા અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ અને નીચેના ડાબા હાથમાં વરા-મુદ્રા હોય છે. તેમની મુદ્રા ખૂબ જ શાંત હોય છે. આ મહાગૌરી હિમાલય પર્વતમાળામાં દેવતાઓની પ્રાર્થના પર શાકમ્બરીના નામથી પ્રગટ થયો હતો.
નવરાત્રિના આઠમાં દિવસની માતા એટલે કે માં મહાગૌરી
તપસ્યા કરતા કરતા માતા ભગવતી પાર્વતી કાલ રાત્રી સ્વરૂપમાં આવ્યા અને સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈ તેમને ગંગાજળ થી ધોઈ અને સાફ કરી માટે તે ગૌરવર્ણના મહાગૌરી બન્યા. માતા મહાગૌરી સફેદ વૃષભ પર સવાર છે.
માતા ગૌરી નવ ગ્રહો માં રહ્યુ નું પ્રતિનિધિત્વ કરે છે. જેમનો રાહુ ખરાબ હોય તેમને આ માતાની સેવા કરવી જોઈએ. જે લોકોને હૃદય સંબંધથી અથવા ફેફસા સંબંધી બીમારી હોય શરીરમાં કમજોરી હોય વિકનેસ હોય થાક નો અનુભવ થતો હોય તેવા વ્યક્તિઓએ આ માતાની સેવા કરવી જોઈએ.
માતા મહાગૌરીનો ભોગ
માતા મહાગૌરી માતાને ભોગ માવાની મીઠાઈનો લગાડવામાં આવે છે. તાલ નીચે કે તાલના લાડુ પણ ધરાવવામાં આવે છે. અખરોટ બદામ ટોપરા ની છીણ અને સાકરનો ભોગ ધરાવવામાં આવે છે. પંચમેવા અને પાંચ પ્રકારના ફળ માતાને ધરાવવા આવે છે. મહાગૌરી માતાની ઔષધી તુલસી છે.
જાણો કેવી રીતે કરશો માતાનું પૂજન
પ્રથમ માતાનો આવાહન કરો. ત્યારબાદ માતાને પાદ્ય અર્ઘ્ય અને આચમન આપો. ત્યારબાદ સ્નાન કરાવવું. પછી પંચામૃત સ્નાન કરાવો. ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરો. ત્યારબાદ માતાને વસ્ત્ર પહેરાવો. પછી ચંદન કુમકુમ લગાવો પુષ્પ ચડાવો. અક્ષત ચડાવો. અબીલ ગુલાલ સિંદૂર હળદર છાંટો. થાળ ધરાવો.
માતાને ધૂપ દીપ અને નૈવેદ્ય આપો. અંત માં આરતી કરવી. પુષ્પાંજલિ આપી મંત્રજાપ કે પથ કરવા. છેલ્લે માતાને ક્ષમા પ્રાર્થના કરી પગે લાગી વીંટી કરવી અને નૃત્ય કરવું આ રીતે રોજે રોજ નવ દિવસ માતાઓ નું પૂજન કરવું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!