જુનાગઢ ડોકટરની ગંભીર બેદરકારી સમે આવી || Junagadh doctor's gross negligence came to light ||
જુનાગઢ ડોકટરની ગંભીર બેદરકારી સમે આવી
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડોકટરની ગંભીર બેદરકારીને કારણે 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું.. ફરગંટા ગામે રહેતા સામાન્ય ખેત મંજૂરી કરતા બાબુભાઇના પત્ની કવિત બેનને પેટમાં કોથળીની તકલીફ તથા તેઓએ કેશોદ ખાતે આવેલી જીવનદીપ હોસ્પિટલના ડોકટર વિકાસ ગોહેલ પાસે ટ્રીટમેન્ટ લીધી હતી..
45 વર્ષીય મહિલાનું મોત થયું
દરમિયાન પેશાબની સાથે સાથે મળની પણ તકલીફ થવા લાગી જેથી ડોકટર દ્વારા CT સ્કેન માટે કેજે નિદાન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે...ઓપરેશન દરમિયાન લેજરના કિરણોએ આંતરડાને નુકશાન પહોચાડ્યું છે..
પરિવાર દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરાઈ
બાદમાં ત્યાં સારવાર ચાલુ કરવામાં આવી અને ત્યાં આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યું બાદમાં 5 દિવસ બાદ કવિતાબેનનું મૃત્યુ થયું....જેથી ત્યારે મૃતકના પતિ દ્વારા આ બાબતે યોગ્ય ન્યાય મળે અને આ ઘટનાની તટસ્થ તપાસ થાય તેમજ અન્ય લોકો સાથે આવું ન બને તે માટે માંગ કરવામાં આવી હતી
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!