યુદ્ધમાં ઈઝરાયલી સેનાએ હમાસની ટોપ લીડરને ઠાર મારી
હમાસના સહ-સ્થાપક અબ્દેલ અઝીઝ અલ-રાંતિસીની વિધવા અને હમાસની એકમાત્ર મહિલા નેતા જમીલા અલ-શાંતિને ઈઝરાયેલી સેનાએ ઠાર મારી. તે આતંકવાદી જૂથ હમાસના રાજકીય બ્યુરોનું કામ સંભાળતી હતી. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. જ્યારે ગાઝા પટ્ટીમાં 3478 લોકો માર્યા ગયા છે.
ઈઝરાયલની સેના હમાસના આતંકવાદીઓને સતત નિશાન બનાવી રહી છે. ઈઝરાયલની સેના આતંકીઓના ઠેકાણા પર સતત હુમલાઓ કરી તેમનો ખાતમો બોલાવી રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ મુજબ હમાસના સહ-સ્થાપક અબ્દેલ અઝીઝ અલ-રાંતિસીની વિધવા અને હમાસની એકમાત્ર મહિલા નેતા જમીલા અલ-શાંતિને ઈઝરાયલી સેનાએ ઠાર મારી. તે આતંકવાદી જૂથ હમાસના રાજકીય બ્યુરોનું કામ સંભાળતી હતી.
જો કે, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કે ઈઝરાયલી સેનાએ જમીલા અલ શાંતિની ક્યાં હત્યા કરી છે. જમીલા અલ શાંતિ 2021માં પોલિટિકલ બ્યુરોમાં ચૂંટાયેલી પ્રથમ મહિલા હતી.
મહત્વનું છે કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4900થી વધુ લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં 3478 લોકો માર્યા ગયા છે.
થોડા દિવસો પહેલા, ઈઝરાયલી સેનાએ માહિતી આપી હતી કે હમાસના ટોચના કમાન્ડર અયમાન નોફાલ ઉર્ફે અબુ મોહમ્મદ મધ્ય ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. તે હાઇ પ્રોફાઇલ આતંકવાદી હતો.
તે જ સમયે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો હતો કે સેનાએ નુખ્બા યુનિટના દક્ષિણ ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને મારી નાખ્યા છે. કેદ્રાને ઘણા ઈઝરાયલની હત્યા માટે જવાબદાર માનવામાં આવે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!