Dark Mode
Image
  • Thursday, 16 May 2024

ભ્રામક જાહેરાત કેસમાં પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરી બિનશરતી માફી માંગી

ભ્રામક જાહેરાત કેસમાં પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરી બિનશરતી માફી માંગી

પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે અને ગેરમાર્ગે દોરતી જાહેરાત સંબંધિત મામલામાં બિનશરતી માફી માંગી છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને તિરસ્કારની નોટિસનો જવાબ ન આપવા બદલ 2 એપ્રિલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

 

 

-- એફિડેવિટમાં શું કહ્યું બાલકૃષ્ણને ? :- સંક્ષિપ્ત એફિડેવિટમાં, આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે તેઓ "અપમાનજનક વાક્યો" ધરાવતી કંપનીની જાહેરાત બદલ ખેદ વ્યક્ત કરે છે. છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને નોટિસનો જવાબ ન આપવા પર 2 એપ્રિલે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

 

 

-- કોર્ટે કહ્યું તેમની સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી ? :- જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કંપની અને બાલકૃષ્ણનને અગાઉ જારી કરાયેલી કોર્ટની નોટિસનો જવાબ દાખલ ન કરવા પર આકરી ઝાટકણી કાઢી હતી. તેમને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે કોર્ટને આપવામાં આવેલા બાંયધરીનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. ખંડપીઠે રામદેવને નોટિસ પાઠવીને પૂછ્યું હતું કે શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલત 'ઇન્ડિયન મેડિકલ એસોસિએશન' (IMA) ની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં રામદેવ પર કોવિડ વિરોધી રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!