ગુજરાત સરકારે વધુ 16 ગામોને 'સ્માર્ટ વિલેજ' તરીકે જાહેર કર્યા
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ગુજરાત સરકારે પાંચ જિલ્લામાં વધુ 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે.આ ગામોમાં રાયડી, થાણાગાલોલ, વિરનગર, આનંદપરા (નવા), રાજકોટ જિલ્લાના સતાપરા, લોધિકા, જૂનાગઢ જિલ્લાના ચોરવાડી, સમઢિયાળા, ધંધુસર, મતિયાણા, બાલાગામ, જામનગર જિલ્લાના પીપર, વાકિયા, સીદસર, બોટાદ જિલ્લાના અડતાલા અને નવસારી જિલ્લાના મહુવરનો સમાવેશ થાય છે.દરેક સ્માર્ટ વિલેજની ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે સેલ્ફ ફંડના ભાગરૂપે રૂ. 5 લાખ મળશે.
સ્માર્ટ વિલેજની પસંદગીના માપદંડોમાં રોડ કનેક્ટિવિટી, રોડની નિકટતા, સ્ટેટ હાઇવે પર લોકેશન, પક્કા રોડ અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને નિયમિત સફાઇ તેમજ ગામની વસતિનો સમાવેશ થાય છે, જે 2,000થી 6,000 ની વચ્ચે હોવી જોઈએ.આવા ગામો કે જેમણે 11 પહેલ પૂર્ણ કરી છે–સરસ ગ્રામ વાટિકા/ બગીચો, ફરજિયાત ડોર ટુ ડોર કચરો એકઠો કરવો, નળ સાથે પીવાના પાણીની લાઇન સાથે જોડાયેલું દરેક ઘર, પંચાયત વેરાની વસૂલાત, રસ્તા પર કચરો ન હોવો અને રસ્તાઓની નિયમિત સફાઇ, સ્માર્ટ ઇ-ગ્રામ સુવિધા, ગ્રામ પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ.
ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ગામ, ગ્રામ પંચાયત દ્વારા નિયમિત લાઇટ બિલની ચુકવણી, ગામ તાલના ગટર, પક્કા રસ્તાઓ.આવા માપદંડો પૂરા કરતા ગામોએ ફોર્મ ભર્યા હતા, ત્યારબાદ તાલુકા કક્ષાની સમિતિએ તેમની મુલાકાત લીધી હતી. જે ગામોએ 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હતા, તેમને વધુ થર્ડ પાર્ટી વેરિફિકેશન હેઠળ મૂકવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા બાદ જે ગામોએ સૌથી વધુ ગુણ મેળવ્યા હોય તેમને તાલુકા દીઠ સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!