ગોવિંદાની રાજકારણમાં ફરી એન્ટ્રી, એકનાથ શિંદેની શિવેસેનામાં જોડાયા, લડી શકે છે લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં ફરી એન્ટ્રી કરી છે. ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે અને ચૂંટણી પણ લડી શકે છે. પોતાના સમયના સુપરસ્ટાર ગણાતા ગોવિંદા એકનાથ શિંદેની શિવસેના વતી મુંબઈની કોઈપણ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.
એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે. ગોવિંદા ચૂંટણી લડવાથી એકનાથ શિંદેની શિવસેનાને સારો ફાયદો થવાની અપેક્ષા છે. હવે જોવાનું એ રહેશે કે તેમની સામે વિપક્ષ કોને ઉમેદવાર બનાવે છે.
---રાજકારણમાં પુનરાગમન કરવા જઈ રહ્યા છીએ----
ગોવિંદા ઔપચારિક રીતે શિવસેનામાં જોડાયા છે. ગુરુવારે તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળવા આવ્યા હતા અને પાર્ટીમાં સામેલ થયા હતા. આ પહેલા બુધવારે ગોવિંદા શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને પણ મળ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ફરી એકવાર રાજકારણમાં પાછા ફરવાના છે.
-- અગાઉ પણ સાંસદ રહી ચૂક્યા છે.
ગોવિંદા પહેલા પણ ચૂંટણી લડી ચુક્યા છે અને 2004 થી 2009 સુધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!