Dark Mode
Image
  • Sunday, 12 May 2024

ભાજપામાં જોડાવવાનો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ કર્યો ઈન્કાર

ભાજપામાં જોડાવવાનો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જી ભાજપામાં જોડાય તેવી અટકળો તેજ બની છે. જો કે, તેમણે રાજનીતિમાં પરત ફરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. શમિષ્ઠા મુખર્જી પોતાની પુસ્તક 'પ્રણવ માય ફાધરઃ ધ ડોટર રિમેમ્બર્સ' થી ચર્ચામાં આવ્યા હતા. આ પુસ્તકમાં કોંગ્રેસ અને પ્રણવ મુખર્જીને દાવા કરવામાં આવ્યા હતા.શર્મિષ્ઠા મુખર્જીએ તાજેતરમાં જ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને પોતાની પુસ્તક 'પ્રણવ માય ફાધરઃ ધ ડોટર રિમેમ્બર્સ' ની એક કોપી આપી હતી.

 

 

આ મુલાકાત બાદ શર્મિષ્ઠા મુખર્જી ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. જો કે, તેમણે તમામ અટકળોને ફગાવીને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, હું ભાજપામાં જોડાવાની નથી, મે રાજનીતિ છોડી દીધી છે. મને ભાજપા અને અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની ઈચ્છા નથી. પરંતુ જે લોકો વિવિધ ચર્ચાઓ કરી રહ્યાં છે તેઓ મારી આ વાત ઉપર વિશ્વાસ નહીં કરે.

 

 

તેમણે પીએમ મોદી સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને તેમને પુસ્તકની એક કોપી ભેટ આપી છે. તેઓ હંમેશાથી મારા પ્રત્યે દયાળુ રહ્યું છે અને મારા પિતા પ્રણવ મુખર્જી પ્રત્યે તેમનું સમ્માન ઓછુ થયું નથી. દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, શર્મિષ્ઠાની સાથે મુલાકાત અને પ્રણવ બાબુ સાથેની યાદગાર વાતચીત યાદ કરીને હંમેશા ખુશી થાય છે. તેમની મહાનતા અને બુદ્ધિમતા આપની પુસ્તકમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.

 

 

-- શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તકમાં કર્યાં ચોંકાવનારા દાવા :- શર્મિષ્ઠા મુખર્જીએ 'પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ' પુસ્તકમાં દાવો કર્યો છે કે તેમના પિતા તેમને કહેતા હતા કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. તેમના પિતાએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં તેમનો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ હતો.

 

 

-- કોંગ્રેસે તમામ દાવાઓને ફગાવ્યા :- કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શર્મિષ્ઠા મુખર્જીના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ બધું ક્યાંક (ભાજપ) જવાની તૈયારી છે. આ કારણોસર ભૂમિકા બનાવવામાં આવી રહી છે. જો આ બધું કહેવું હતું તો સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ કહ્યું હોત.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!