કોંગ્રેસે પોતાના નેતાઓને રામ મંદિર કાર્યક્રમમાં હાજરી આપવા લીલી ઝંડી આપી: સૂત્રો
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પાર્ટી પાસે નેતાઓ અને રામ મંદિર ઉદ્ઘાટનમાં ભાગ લેવા માંગતા કોઈપણ વ્યક્તિ માટે કોઈ આદેશ નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઇકમાન્ડે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા ઇચ્છુક પક્ષના નેતાઓને લીલી ઝંડી આપી દીધી છે.
I.N.D.I.A ગઠબંધન જૂથના અન્ય વિપક્ષી સહયોગીઓ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં તેના રાજ્ય એકમના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રામ મંદિરનો મુદ્દો એ સમયે ઉછળ્યો જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના કોંગ્રેસી નેતાઓએ 22 જાન્યુઆરીના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપશે કે નહીં તે અંગે હાઈકમાન્ડ પાસે સ્પષ્ટતા માંગી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકારુજુન ખડગેએ સંકેત આપ્યો હતો કે તેમને અને સોનિયા ગાંધીને આમંત્રણ સંસદમાં અનુક્રમે વિપક્ષી નેતા (રાજ્યસભા) અને કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ તરીકેની તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવ્યું છે.
મલ્લિકારુજુન ખડગેએ કહ્યું હતું કે પાર્ટી પાસે નેતાઓ માટે કોઈ આદેશ નથી અને જે કોઈ પણ મંદિરમાં પ્રાર્થના કરવા માંગે છે તે જવા માટે સ્વતંત્ર છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ અજય રાય અને બિહાર એકમના વડા અખિલેશ પ્રસાદ સિંહ અનુક્રમે 20 અને 21 જાન્યુઆરીએ રામમંદિરની મુલાકાત લે તેવી શક્યતા છે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સમારંભના ભાજપના 'રાજકીયકરણ'નો સામનો કરવા માટે આ જરૂરી છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના પક્ષના ટોચના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરીને આમંત્રણ મોકલ્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!