રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાએ ભારતને તેના 75 માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
ભારતમાં કેનેડાના હાઈ કમિશને શુક્રવારે ભારતને તેના 75મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા મહિનાઓથી રાજદ્વારી વિવાદમાં સામેલ છે.
એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલા આ સંદેશામાં ભારતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા કહેવામાં આવ્યું હતું કે, "ભારતને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ." આ પોસ્ટને કેનેડાએ ભારતમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં શેર કરી હતી.
દેશ તરફથી આ સંદેશ એવા અહેવાલો પછી આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડા તેની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં, 2019 અને 2021 માં કથિત ભારતીય હસ્તક્ષેપની તપાસ કરશે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા મહિનાઓથી રાજદ્વારી વિવાદમાં સામેલ છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂનના રોજ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની "સંભવિત" સંડોવણીના જસ્ટિન ટ્રુડોના 18 સપ્ટેમ્બરના રોજ થયેલા આક્ષેપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ભારે તાણમાં આવ્યા હતા.
ભારતે ટ્રુડોના આરોપોને "વાહિયાત" અને "પ્રેરિત" તરીકે નકારી કાઢ્યા હતા. નિજ્જરને ભારતે 2020માં આતંકી જાહેર કર્યો હતો.
બંને દેશો વચ્ચેના તણાવને કારણે રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા અને મુસાફરીની સલાહ આપવામાં આવી હતી. ભારતે ૨૧ સપ્ટેમ્બરના રોજ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અટકાવી દીધી હતી. જો કે, લગભગ બે મહિનાના વિરામ બાદ નવેમ્બરમાં ભારત દ્વારા કેનેડાના લોકો માટે ઇ-વિઝા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!