Dark Mode
Image
  • Friday, 10 May 2024

CAAને લઇને કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર, કહ્યું ભાજપ તેની વોટબેંક તૈયાર કરી રહી

CAAને લઇને કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર, કહ્યું ભાજપ તેની વોટબેંક તૈયાર કરી રહી

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ થઈ ગયો છે. જે બાદ રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે નાગરિકતા સુધારા કાયદા (CAA) પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે આ વોટ બેંક બનાવવાની રમત છે, ભાજપ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે.

 

 

-- ભાજપ પોતાની વોટબેંક તૈયાર કરી રહી છે :- ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ પોતાના દેશના અધિકાર પાકિસ્તાનીઓને આપી રહ્યા છે. CAAને કારણે પૂર્વોત્તર રાજ્યોને વધુ નુકસાન થશે. અન્ય દેશો બહારના લોકોને આવતા અટકાવે છે. ભાજપ ચૂંટણીલક્ષી લાભ માટે CAA લાવી છે. ભાજપ પોતાની વોટબેંક તૈયાર કરી રહી છે. દેશની માંગ છે કે CAAને પાછો ખેંચવામાં આવે. દેશના યુવાનોને રોજગારી મળી રહી નથી.

 

 

-- મતલબ કે લઘુમતીઓને મોટી સંખ્યામાં આપણા દેશમાં લાવવામાં આવશે’ :- દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આ CAA શું છે? કેન્દ્રની ભાજપ સરકારનું કહેવું છે કે જો ત્રણ દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લેવા માંગે છે તો તેમને પણ નાગરિકતા આપવામાં આવશે. મતલબ કે લઘુમતીઓમાંથી મોટી સંખ્યામાં લોકોને આપણા દેશમાં લાવવામાં આવશે. તેમને નોકરી આપવામાં આવશે અને તેમના માટે ઘર બનાવવામાં આવશે.

 

 

-- ભારત સરકાર પાસે છે પૈસા છે તેનો ઉપયોગ આપણા લોકો માટે થવો જોઇએ’ :- ભાજપ આપણા બાળકોને નોકરી ન આપી શકે પરંતુ તેઓ પાકિસ્તાનથી આવતા બાળકોને નોકરી આપવા માંગે છે. આપણા ઘણા લોકો બેઘર છે પરંતુ ભાજપ પાકિસ્તાનથી આવતા લોકોને અહીં વસાવવા માંગે છે. તેઓ તેમના બાળકોને આપણી નોકરી આપવા માંગે છે. તેઓ પાકિસ્તાનીઓને આપણા હકના ઘરોમાં વસાવવા માંગે છે. ભારત સરકાર પાસે જે પૈસા છે તેનો ઉપયોગ આપણા પરિવાર અને દેશના વિકાસ માટે થવો જોઈએ. તેનો ઉપયોગ પાકિસ્તાનીઓને વસાવવા માટે કરવામાં આવશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!