અધિર રંજન ચૌધરીએ કાયદા મંત્રાલયને લખ્યો પત્ર, ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટેના ઉમેદવારોની યાદી માંગી
ચૂંટણી પંચમાં ટૂંક સમયમાં બે નવા કમિશનરની નિમણૂક થઈ શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક 15 માર્ચે બોલાવવામાં આવી છે.ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત માટે હજુ પાંચ-છ દિવસ લાગશેએવું માનવામાં આવે છે કે ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મતલબ કે ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત માટે હજુ પાંચ-છ દિવસ રાહ જોવી પડશે.
જો કે, સમિતિની બેઠક પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાયદા મંત્રાલયને પત્ર લખીને યાદીમાં સામેલ દસ્તાવેજો અને ઉમેદવારોની માહિતી માંગી છે.લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી રાજીવ મણિને લખેલા પત્રમાં ચૌધરીએ તેમને ચૂંટણી કમિશનરના પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની માહિતી તેમના બાયોડેટા સાથે મોકલવા કહ્યું છે.
-- ચૂંટમી કમિશનરોની નિમણુંક માટેની સમિતિના સભ્ય છે અધિર રંજન ચૌધરી :- ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે રચાયેલી સમિતિમાં સામેલ એવા કોંગ્રેસના નેતાલ અધિર રંજને કાયદા મંત્રાલયના અધિકારીઓને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) અને માહિતી કમિશનર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની નિમણૂક માટેની પ્રક્રિયાને અનુસરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અધીર રંજન ચૌધરી CIC અને CVCની પસંદગી માટે PMની આગેવાની હેઠળની સમિતિના સભ્ય પણ છે.કોંગ્રેસ નેતાએ કાયદા મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "હું તમને બેઠક પહેલા ચૂંટણી કમિશનરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોના બાયોડેટા સહિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવા વિનંતી કરુ છું."
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!